ગુજરાત
News of Friday, 19th April 2019

કલોલના જાસપુર નજીક અમદાવાદના પરિણીત યુવાને કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

કલોલ:જાસપુર ખાતે આવેલી નર્મદા કેનાલમાંથી ગઇકાલે બપોરે અમદાવાદના એક પરિણીત યુવકની લાશ મળી આવી હતી. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કઢાવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબ્જો તેના વાલી વારસોને સોંપ્યો હતો. યુવકના આપઘાત પાછળ આર્થિક સંકડામણ અને દેવું કારણભૂત હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કલોલના જાસપુર ખાતે આવેલી નર્મદા કેનાલમાંથી ગઇકાલે બપોરે એક યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે મૃતકની લાશને ફાયરબ્રિગેડની મદદથી બહાર કઢાવી હતી. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા ઓળખપત્રને આધારે લાશની ઓળખ થઇ હતી. મૃતક અમદાવાદના બહેરામપુરાની ગલી નં.રરમાં રહેતો ૩૨ વર્ષીય બ્રિજેશ શંકરભાઇ પરમાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. 

(5:57 pm IST)