રવિવારે નરેન્દ્રભાઇ પાટણમાં જાહેરસભા ગજવશે
પાટણ-મહેસાણા-બનાસકાંઠા જીલ્લાનું સંમેલન યોજાશે
પાટણ, તા.,૧૯: દેશના વડાપ્રધાન ર૧ મી એપ્રિલે પાટણમાં ભાજપની જંગી જાહેરસભા સંબોધવાના હોઇ ગુરૂવારેભાજપ દ્વારા પત્રકાર પરીષદ બોલાવવામાં આવી હતી.
પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરીષદ સંબોધવામાં આવીહતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી ર૧ મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સવારે ૯કલાકે હેમ.ઉ.ગુ. યુનિ. ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા સંબોધવાના છે. જેમાં પાટણ,બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. આસાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીયમંત્રીઓ,સાંસદો, રાજય સરકારના મંત્રીઓ ધારાસભ્યો ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ અને સ્થાનીક અગ્રણીઓ અને ત્રણેય બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહેવાના છે. વધુમાંજણાવ્યું હતું કે ર૦૧૪ માં ગુજરાતની પ્રજાએ ર૬ બેઠકો ભાજપને આપી દેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતીથી વિજયી બનાવી નરેન્દ્રભાઇને દેશના વડાપ્રધાન બનાવ્યા છે ત્યારે હવે ફરી સમય છે નરેન્દ્રભાઇને દેશના વડાપ્રધાન બનાવવાનો પત્રકાર પરીષદમાં જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી ઉપસ્થિત હતા.