ગુજરાત
News of Friday, 19th April 2019

પાટીદાર સમાજ અને ભાજપ સિક્કાની બે બાજુ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સૂચક નિવેદન

પાલનપુર જાહેરસભા પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સીધા પાટીદાર સમાજની બેઠકમાં પહોંચ્યા

અમદાવાદ :રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે પાટીદાર સમાજ અને ભાજપ સિક્કાની બે બાજુ જેવો છે દિવસભરના વ્યસ્ત શેડ્યુલ છતાં પાટીદાર સમાજની બેઠકમાં પહોંચીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટીદાર સમાજ અને ભાજપ બંને સિક્કાની બે બાજુ હોવાનું સૂચક નિવેદન કર્યું હતું

આજે દિવસભરના વ્યસ્તતા વચ્ચે પાલનપુર જાહેરસભા પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સીધા પાટીદાર સમાજની બેઠકમાં પહોંચ્યા હતા

 

(12:24 am IST)