દિયોદરમાં ભાજપના નેતા કેશાજી ઠાકોર ભાવુક થઇ ગયા સીએમની ઠાકોર સમાજ સાથેની બેઠકમાં આંસુ સરી પડ્યા
ટિકિટ ન મળતા નારાજ હોવાની ચર્ચા વચ્ચે હવે કેશાજી ફરી સક્રિય
બનાસકાંઠાના દિયોદરમાં ભાજપના નેતા કેશાજી ચૌહાણ ભાવુક થયા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઠાકોર સમાજ સાથેની બેઠકમાં કેશાજી ચૌહાણની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા ઠાકોર સમાજને ભાજપને વિજયી બનાવવા હાંકલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેશાજીએ બનાસકાંઠાથી ટિકિટ માટે દાવેદારી કરી હતી. ટિકિટ ન મળતા કેશાજી નારાજ હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે કેશાજી ફરી સક્રિય થયા છે. ભાજપને વિજયી બનાવવા મેદાને આવ્યા છે.
અગાઉ બનાસકાંઠા બેઠક પરથી ભાજપે પરબત પટેલને ટિકિટ આપતા જ કેશાજી ચૌહાણ નારાજ થયા હતા. ભાજપમાંથી બળવો કરવાની વાત સામે આવી હતી. કેશાજીએ અગાઉ અપક્ષમાંથી ચૂંટણી વડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે હવે કેશાજી ચૌહાણે ભાજપને વિજયી બનાવવા માટે હાંકલ કરી હતી.