News of Thursday, 19th April 2018
અખાત્રીજના દિવસે રાજ્યમાં ૩પ૦ કિલો સોનાનું વેચાણ
અમદાવાદઃ ગઇકાલે વણજોયા મુહુર્ત અખાત્રીજના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવ્યા હતાં. જ્યારે સોના-ચાંદી અને નવા વાહનોની પણ ખરીદી કરવામાં આવી હતી. ત્યારે ગઇકાલે રાજ્યમાં એક જ દિવસમાં ૩પ૦ કિલો સોનાનું વેચાણ કરાયું છે.
સોની બજારના સૂત્રોનું કહેવું છે કે અખાત્રીજના દિવસે રાજ્યમાં કુલ 350 કિલો સોનાનું વેચાણ થયું. 70 ટકા લોકોએ કેશલેશના માધ્યમથી સોનાની ખરીદી કરી. અમદાવાદમાંજ 125 કિલો સોનાના વેચાણનો અંદાજ કાઢવામાં આવ્યો છે.
હાલમાં લગ્નસરાની મોસમ અને બેંક કૌભાંડોને કારણે લોકોનો ઝોક સોના તરફ વધું હોવાનું પણ બજારના સૂત્રોનું કહેવું છે.
(6:26 pm IST)