ગુજરાત
News of Saturday, 18th March 2023

સુરતના ઉમરપાડાના જંગલ વિસ્‍તારમાંથી રત્‍ન કલાકારનો મૃતદેહ મળ્‍યોઃ હત્‍યા થયાની આશંકાઃ લાશને પીએમ અર્થે હોસ્‍પિટલ ખસેડાઇ

તપાસ કરતા મૃતકનું આધારકાર્ડ મળી આવતા લાશ શૈલેષભાઇ કેશુરભાઇ ચૌહાણની હોવાનું સામે આવ્‍યુ

સુરત: શહેરના છાપરાભાઠાના રત્નકલાકારનો મૃતદેહ ઉમરપાડાના જંગલમાંથી મળી આવ્યો હતો. યુવકના મોં પર ઇજાના નિશાનો મળી આવતા પોલીસે હત્યાની શંકા સાથે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉમરપાડાના ખાટ બંગલી ચોરવાડ બીટના જંગલના સ્થાનિકોને એક અજાણી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ ઉંચવણ ગામના સરપંચને થઈ હતી. જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર જઈને અજાણ્યા વ્યક્તિની લાશનો કબજો લીધો હતો અને તપાસ કરતાં યુવકનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં રિલાયન્સ નગર, છાપરા ભાઠાના શૈલેષભાઈ કેશુરભાઈ ચૌહાણ હોવાની ઓળખ થઈ હતી. 

યુવકના મોઢા ઉપર ઈજાના નિશાનો દેખાતા હાલ આ યુવકની હત્યા થઈ હોવાની શંકા હોવાથી યુવકના મૃતદેહને પીએમ માટે સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોની પેનલ દ્વારા યુવકની લાશનું પીએમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે.

મહત્વનું છે કે રત્નકલાકાર યુવક જંગલમાં શા માટે ગયો હતો. તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

(6:02 pm IST)