પૂ.રત્નશેખર સુરીશ્વરજી મહારાજાના ૬૦માં જન્મદિને પૂજન-હવન
સોનારડા ગામે માનવતાના મસીહા
રાજકોટ, તા.૧૮: ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૬૦માં જન્મદિન પ્રસંગે તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર દાદાનું ૧૦૦૮ આહુતિ યુક્ત પૂજન-હવન સંગીતના સથવારે યોજાયેલ.જેમાં પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજશ્રી પુન્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ.
પૂજય ગુરુદેવના ૬૦માં જન્મદિવસ નિમિત્તે ૬૦ પરિવારોને રાશન કીટ અર્પણ,ગાયોને ઘાસ ચારો,છ ગામોમાં પરમાત્માને આંગી,છ ગામોમાં સ્કૂલના બાળકોને નાસ્તો, છ ગામોમાં આવડાનું નિર્માણ થશે, છ ગામોમાં ચબુરાતનું નિર્માણ થશે.શ્રી માણિભદ્રવીર દાદાની પ્રત અને ગુરૂ રત્નશેખરસૂરી ગુરૂ પાદુકા પૂજન પ્રત બહાર પાડવામાં આવશે.
આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો તરીકે રજનીભાઈ પટેલ, પ્રશાંતભાઈ કોરાટ, ભાનુમતીબેન મકવાણા, કવિતાબેન દેઢિયા, જીજ્ઞાબેન શેઠ, કશ્યપભાઈ જાની, કુલદીપભાઈ સંઘવી, કુલીનભાઈ દેઢિયા, વિજયભાઈ મકવાણા, જીગરભાઈ શાહ, સંજયભાઈ શાહ, પરેશભાઈ શાહ,નિલેશભાઈ જોટંગીયા,બજુ પાંચણી, કુમારભાઈ શાહ, પંકજભાઈ સોમાણી વિગેરે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો અને દાતા પરિવારોનું ટ્રોફી, સાલ અને છોડ આપી સન્માન કરવામાં આવેલ.આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી ગુરુભક્તો ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે ૬૦ રૂ. નું સંઘ પૂજન કરવામાં આવેલ.