ગુજરાત
News of Tuesday, 19th March 2019

હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રજાજનોને શુભેચ્છાઓ

રંગોનો ઉત્સવ જનજીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને આનંદના રંગ ભરનારો બને તેવી શુભકામના

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકોને હોળી - ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી છે.

    મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ પરસ્પર પ્રેમ-બંધુત્વ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ વ્યકત કરી છે.

     શ્રી વિજયભાઇ રૂપાણીએ રંગોનો આ ઉત્સવ જનજીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને આનંદના રંગ ભરનારો બને તેવી શુભકામનાઓ પણ સૌ નાગરિકોને પાઠવી છે

(9:08 pm IST)