વાપીમાં ચર્ચની બહાર ભગવાનના ફોટા મળી આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો
વા૫ી શહેરના સી ટાઈપ વિસ્તારમાં ચર્ચના કમ્પાઉન્ડના ગેટ પાસે ભગવાનના ફોટા ત્યજી દેવાતા નજીકમાં રહેતા લોકો એકત્રિત થઈ આક્રોશ વ્યકત કરી ચર્ચના ફાધરને ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવી દીધો હતો. રવિવારે સાંજે ચર્ચમાં આવેલી બે મહિલાઓએ ગેટની બહાર ભગવાનના ફોટ ત્યજી દીધા હોવાનું જણાવી ધર્માન્તરણની પ્રવૃત્તિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી જીઆઈડીસીના સી ટાઈપ વિસ્તારમાં ચર્ચ આવેલી છે. રવિવારે સાંજે ચર્ચના ગેટ નજીક હિન્દુઓના ભગવાનના ફોટાઓ ત્યજી દીધેલી હાલતમાં જોતા નજીકમાં રહેતા લોકો એકત્રિત થઇ ગયા હતા. લોકોએ ચર્ચના ફાધર સમક્ષ આ પ્રકારના ગંભીર કૃત્ય અંગે ઉગ્ર રજૂઆત કરી ભારે હોબાળો મચાવી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ કન્ટ્રોલને પણ જાણ કરાઈ હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.