ગુજરાત
News of Tuesday, 19th March 2019

સુરતના અઠવામાં શ્રાવિકા યુવતીએ જૈન મુનિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા કાર્યવાહી શરૂ

સુરત:શહેર ના અઠવા પોલીસમાં વડોદરાની શ્રાવિકા યુવતીએ દિગંબર જૈન સમાજના મુનિ શાંતિ સાગર મહારાજ સામે ધાર્મિક વિધિના બહાને દુષ્કર્મ આચરવા અંગે આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી.

આ કેસમાં અઠવા પોલીસે આરોપી શાંતિ સાગર મુનિની ધરપકડ કરી લાજપોર સેન્ટ્રલ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. લાંબા સમયથી આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી જૈન મુનિ સામે અઠવા પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધું હોવા છતાં એકથી વધુ વાર સુરતની ઉચ્ચતમ અદાલતોમાથી જામીન મેળવવા માટે આરોપીના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

(5:42 pm IST)