લોભિયા ત્યાં ધૂતારા ભુખે ના મરે:પાલડીમાં સસ્તા ઘઉં આપવાનું કહીને રાજસ્થાનના વેપારીઓએ લાખોની છેતરપિંડી આચરી
અમદાવાદ પાલડીના વેપારીએ સસ્તા ભાવે ઘઉં ખરીદવાની લાલચમાં રૂા. ૨૫ લાખ ગુમાવ્યા છે. રાજસ્થાનના વેપારીઓએ એડવાન્સ રૂપિયા મેળવી લીધા બાદ અનાજનો જથ્થો આપ્યો નહી અને જે થાય તે કરી લેવાની ધમકી આપતાં વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
પાલડીમાં ચોરા પાસે વિદ્યાયન બિલ્ડીંગમાં રહેતા અને હરીઓમ માર્કેટીંગના નામે ઘઉે,સ ચોખા, કઠોળ વિગેરે અનાજનો હોલસેલમાં વેપાર કરતા જીતેન્દ્રભાઇ ભગવાનદાસ ગેહલોતે પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે દોઢ વર્ષ પહેલા રાજસ્થાનના કોટામાં વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝનાથી અનાજનો મોટા પાયે વ્યવસાય કરતા સુનીલભાઇ.બી.જૈન તથા તેમના ભાગીદાર તેમની દુકાને આવ્યા હતા અને ઘઉંનો બહુ મોટો તેેેમના પાસે હોવાની વાત કરી હતી. જે બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવાની વાત કરી હતી.