News of Tuesday, 19th March 2019
અમદાવાદ દિવ્યાંગ મતદાતા માટે જાગૃતિ રેલી
અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા ખાતા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી નો હેતુ દિવ્યાંગ વ્યકિતઓ માં મતદાન અંગે અવેરનેસ લાવવાનો છે. વસ્ત્રાપુરના અપંગ માનવ મંડળ થી આ રેલી સૂત્રોચ્ચાર, બેનર્સ દ્વારા અવેરનેસ કેમ્પીઅન કરશે.૫૦૦ જેટલા દિવ્યાંગ વ્યકિતઓ આ રેલીમાં જોડાશે જેમાં મનો દિવ્યાંગ,હીયરીંગ ઇમ્પેરડ, બ્લાઇન્ડ પર્સન,ઓર્થોપેડીકલી હેન્ડડકેપ્ડ વ્યકિતઓ હશે સાથે દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા તેમના સ્ટાફ-વાલીઓ પણ જોડાઇ રહ્યા છે. આ રેલીનું આયોજન મા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ ઓ બ્રિજિતા ક્રિશ્યીયન, મિહિર જાની તથા નિલેષ પંચાલ કાર્યરત છે.
(3:50 pm IST)