ધન મેળવો નીતિથી, ભોગવો રીતિથી સેવામાં વાપરો પ્રીતિથીઃ ઓસ્ટ્રેલિયામાં દેવકૃષ્ણ સ્વામીની વાણી
રાજકોટ ગુરૂકુળના સંતનો વિદેશમાં ધર્મોપદેશઃ રોજ સત્સંગ કરવા અનુરોધ
સુરત તા.૧૯ : બધા વિના રહી શકીએ એ બહાદુરી નથી પણ બધાની સાથે પ્રસન્નતાથી રહી શકીએ એજ બહાદુર છે ધન મેળવજો નિતિથી ભોગવજો રીતીથી અને સેવામાં વાપરજો પ્રીતિથી એમ શ્રી સ્વામિનારાણય ગુરૂકુળ રાજકોટના મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ઓસ્ટ્રેલીયાના પર્થ ખાતે કહ્યું હતા. ગુરૂકુળના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી ગુરૂકુળના ભૂતપર્વ વિદ્યાર્થીઓ તથા ભાવિક ભકતોના નિમંત્રણથી ઓસ્ટ્રેલિયા દેશના સત્સંગ વિચરલ અર્થે તેઓશ્રીની સાથે તરવડા ગુરૂકુળનું સંચાલન કરતા શ્રી કૃષ્ણપ્રિયદાસજીસ્વામી, શ્રી મુનિશ્વરદાસજીસ્વામી, શ્રીપૂર્ણપ્રકાશદાસજી સ્વામી તથા શ્રી તીર્થ સ્વરૂપદાસજી સ્વામી જોડાયા છ.ે
શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર પુજય રી દેવકૃષ્ણદાસજી સ્વામીની૪૦ દિવસની ઓસ્ટ્રેલીયાની યાત્રામાં બ્રિસબેન સીડની અલબરી મેલબોન, પર્થ વગેરે શહેરોમાં વિચરલ ગોઠવાયું છે બ્રિસબેન ખાતે ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શ્રી જિતેવભાઇ પટેલ વગેરેએ ભગવાત શ્રી સ્વામિનારાયણના નીલકંઠ વર્ણી સ્વરૂપની વમવિચરલની કથાનું રસપાન શ્રી કૃષ્ણપ્રિયસ્વામીના મુખેથી સાંભળી ધન્યતા અનુભવી હતી.
પર્થ શહેરમાં શ્રીમદ્ ભાગવતજીની કથાનું આયોજન કરાયેલ કથા અંતર્ગત આવતા ઉત્સવો-જન્મોત્સવ, અન્નકુટોત્સવ, રંગોત્સવ વગેરે સંતો સાથે ભકતજનોએ ભતિકભાવ પૂર્વક ઉજવેલા, શ્રીકૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ ગુરૂકુળના વિદ્યાર્થીઓ, સત્સંગીઓ ઉપરાંત ગુજરાતી પરિવારોને સંભળાવેલ.
આ પ્રસંગે મહંતસ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા કહેલું કે અહી દુરદેશમાં તમે ગુરૂકુળના સત્સંગના સંસ્કાર જાળવી રહ્યા છો તેથી અમે રાજી છીએ. અહી સહુ સાથે મળીને વિવિધ ધર્મો-સંપ્રદાયોના ઉત્સવો ભકિતભાવથી ઉજવો છો. આપણી સંસ્કૃતિ સાથે મળીને રહેવા, ખાવાનું શીખવે છે. ભગવાન શ્રીકૃષ્ણ દુઃખના દિવસોમાંય પ્રસન્ન રહેતા. સહુને સાથે રાખી એકતાનો આનંદ લેતા.
નિત્ય સત્સંગ એ જીવન સુધારવાનું અધિવેશન છે. આ કથાએ એવું અિધવેશન છે. જયારે જયાં કથા, સત્સંગનું આયોજન થતું હોય ત્યાં પણ લેતા રહેવું. ઘરે ૩૦ મિનિટ ઘરના સભ્યોએ ભેગા મળી ઘર સભા કરવાના ભાવિકોને પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ નિયમ આપેલ. જેને ભાવિકોએ સહર્ષ સ્વીકારેલી હતો.