ગુજરાત
News of Wednesday, 19th February 2020

પામોલની મોટી નહેર નજીક ખોડિયાર માતાજીના મંદિર પાસે બપોરના સુમારે ઉશ્કેરાયેલ શખ્સે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

પામોલ: શહેરની મોટી નહેર પાસે આવેલા ખોડીયાર માતાના મંદિર પાસે ગઈકાલે બપોરના સુમારે સગાઈની વાત કરવા બાબતે ઉશ્કેરાયેલા શખ્સે પિતા-પુત્રને પાવડાથી માર મારતાં અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી રમણભાઈ સોમાભાઈ પંડ્યાના પુત્ર અલ્પેશની પત્ની જતી રહી હોય બીજી પત્નીની સગાઈ માટે વાત કરવા માટે તેઓ પુત્ર અલ્પેશ સાથે રીક્ષા ભાડે કરીને રમણભાઈ ઠાકોરના ઘરે ગયા હતા. જ્યાં તેઓ હાજર નહોતા પરંતુ તેમના મોટાબાપુનો છોકરો રાજેશભાઈ ઉર્ફે રાજુ ભાનુભાઈ પંડ્યા ત્યાં હાજર હતો તેણે અહીંયા કેમ આવ્યા છો, તેમ પૂછતાં અલ્પેશની સગાઈની વાત કરવા આવ્યા છીએ. જેથી તેણે બોલાચાલી કરીને સગાઈ કરવાની નથી તેમ જણાવીને પરત જવાનું કહ્યું હતુ તે પણ રીક્ષામાં બેસી ગયો હતો. મોટી નહેર પાસે આવેલા ખોડીયાર માતાના મંદિર પાસે રીક્ષા આવી જતાં રાજેશ ઉર્ફે રાજુ રીક્ષામાંથી ઉતર્યો હતો અને રમણભાઈને બે લાફા મારીને ગમે તેવી ગાળો બોલી હતી જેથી અલ્પેશ વચ્ચે પડતાં તેને પણ ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમ્યાન નજીકમાં આવેલા અરવિંદભાઈ રોહિતના ખેતરમાંથી પાવડો લઈને આવતાં રીક્ષાચાલક પોતાની રીક્ષા લઈને ત્યાંથી જતો રહ્યો હતો. રાજેશે પાવડાાનો ઘા રમણભાઈને ડાબા ગાલ ઉપર આંખ નીચે તેમજ ખભા પાસે મારીને મુઠ માર માર્યો હતો. અલ્પેશને પણ ડાબા કાન પાસે તથા ડાબી બાજુ કમરના ભાગ પાવડાના ઘા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:01 pm IST)