યાત્રાધામ બહુચરાજી સ્વયંભૂ બંધ :આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી
જવાનોની શહીદી એળે નહી જાય તેવી પ્રતિજ્ઞા કરી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી
ચાણસ્મા :જમ્મુ-કાશ્મીરના પુલવામાં વિસ્તારમાં આતંકી હુમલામાં સી.આર.પી.એફ.ના જવાનોના શહીદોના પગલે સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. લોકો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. શહીદોના માનમાં ઠેર-ઠેર લોકોએ સ્વયંભૂ બંધ પાળી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી શહીદો અમર રહોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
. ચાણસ્મા અને બહુચરાજી શહેરમાં પણ વેપારીઓએ આપેલ બંધના એલાનને ભારે સમર્થન મળ્યું હતું. લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાળી વ્યાપાર ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલામાં દેશના જવાનોની શહીદી એળે નહી જાય તેવી પ્રતિજ્ઞા કરી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી નાપાક પાકિસ્તાન અને આતંકીઓની સામે આરપારની લડાઇ લડવા દેશની સમગ્ર જનતા લશ્કરની પડખે રહેવાની કસમ લીધી હતી અને તેનો બદલો લેવા લશ્કરના જવાનોને આગળ વધવા હાંકલ કરી હતી.