વડોદરાના છાણી સમા રોડ નજીક બીમારીથી કંટાળી 50 વર્ષીય મહિલાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા: શહેરના છાણી સમા રોડ પર રહેતી ૫૦ વર્ષની મહિલાએ ગઇકાલે બપોરે ઘરે બેડરૃમમાં પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ બીમારીના કારણે જીવન ટૂંકાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
છાણી સમા રોડ પર પોદ્દાર સ્કૂલની બાજુમાં આવેલી નિસર્ગ રેસિડેન્સીમાં રહેતા વ્રજલાલ જાવીયા એસ.ટી.ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે.તેમના પત્ની છેલ્લા કેટલાક સમયથી તબિયત સારી રહેતી નહતી.જેની હોમિયોપેથિક સારવાર ચાલતી હતી.ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે વ્રજલાલ જમીને ચાલવા માટે નીકળ્યા હતા.તેમનો પુત્ર મિત્રના ઘરે ગયો હતો.તે દરમિયાન તેમના પત્ની મંજુલાબેને ઘરે બેડરૃમમાં પંખા પર દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતેા.સાડા ચાર વાગ્યે વ્રજલાલ જમીને પરત ઘરે આવ્યા ત્યારે પત્નીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને ફસડાઇ પડયા હતા.બનાવની જાણ છાણી પોલીસને કરવામાં આવતા હેડકોન્સટેબલ ઉદેસિંહે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.