ગુજરાત
News of Tuesday, 19th January 2021

વીજ કર્મચારીઓ ની હડતાળ સહિતના તમામ કાર્યક્રમો રદ. સરકારે બધી માગણી સ્વીકારી..તમામ કાર્યક્રમો પાછા ખેંચાયા

અમદાવાદ : ગુજરાત રાજ્યના મા. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલની  અધ્યક્ષતામાં તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ સાહેબની હાજરીમાં “ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ” પ્રમુખો ગોરધનભાઇ ઝડફીયા, ભરતભાઇ પંડયા, ભરતભાઇ ડાંગર, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, જીયુવીએનએલ મેનેજીંગ ડાયરેકટર   શાહમીના હુશેન, મુનશી, રાય સર્વેની તથા તમામ યુનિયનો/ એસોસીએશનના હોદ્દેદારોની હાજરીમાં ખુબજ સુલેહભર્યા વાતાવરણમાં નિખાલસતાથી ચર્ચા વિચારણા મિટીંગ થયેલ, જેમાં જીયુવીએનએલના તમામ વિજકર્મચારીઓ, અધિકારીઓ, ઈજનેરોની લાગણી અને માગણીઓના અનુસંધાને તા. ૦૧/૦૧/૨૦૨૧ થી ( છઠ્ઠા પગારના ભથ્થાઓ મુજબ ) સાતમા પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંક થી ચુકવવા મંજુરી આપેલ થે. સાથોસાથ  તા ૦૧/૦૧/૨૦૧૬ થી અસરથી ચડતર ભથ્થાઓનું એરીયર્સ દશ હપ્તામા ચુકવણુ કરવામાં આવશે. જે સરકારએ વિશ્વાસ આપતા સરકારનો  આભાર માનેલ છે તેમજ સુધારેલ પરીપત્ર વહેલી તકે ઉર્જા ખાતા દ્વારા બહાર પાડવામાં આવશે.

 

 આથી “ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આંદોલન નોટીસ અનુસંધાનના તમામ કાર્યક્રમો પરત ખેંચવામાં આવે છે. સમિતિ દ્વારા સરકારનો, તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ઇજનેરો તથા પ્રીન્ટ મિડીયા- ઇલેકટ્રોનિકસ મિડીયાનો તેમના સુપર્ણ સાથ સહકાર બદલ હર્દયપુર્વક આભાર  માન્યો હતો

(9:30 pm IST)