News of Monday, 18th November 2019
આણંદમાં ટાઉનહોલ નજીક બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી રીક્ષા કાર સાથે અથડાઈ પલ્ટી ખાતા રીક્ષા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો
આણંદ :શહેરના ટાઉનહોલ પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એક રીક્ષા આગળ જતી કારની પાછળ અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષાચાલકનું મોત થયું હતુ. જો કે રીક્ષામાં સવાર દશ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર વિદ્યાનગર ખાતે રહેતા રામકુમાર જયરામભાઈ જીંજરીયા પોતાના મિત્રની ફોર્ડફીગો કાર નંબર જીજે-૦૧, કેક્યુ-૫૦૫૦માં અવાજ આવતો હોય બોરસદ ચોકડીએ રીપેરીંગ કરાવવા માટે લઈને જતા હતા.
(5:50 pm IST)