નડિયાદના રામ તલાવડી નજીક અગમ્ય કારણોસર પત્ની પર ચપ્પુના ઘા જીકી હત્યા કરી ફરાર પતિએ આણંદ નજીક ટ્રેન નીચે પડતું મુકતા ચકચાર
નડિયાદ: શહેરના રામ તલાવડી પાસે આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટમાં પત્નીની ચપ્પાના ઘા મારીને હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિએ આણંદ નજીક આવેલા વઘાસી પાસે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આણંદ શહેર પોલીસને હકિકત મળી હતી કે, વઘાસી ફાટકથી સાત ઓરડી તરફ જવાના રેલ્વે ટ્રેક ઉપર એક પુરૂષની લાશ પડી છે જેથી પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશનો કબજો લઈને તપાસ કરતાં ખીસ્સામાંથી એક ચબરખી મળી આવી હતી. જેના પર લખેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં તે મુળ બિહારનો પરંતુ હાલમાં નડીઆદ ખાતે રહેતો ગણેશ હોવાનું તેમજ જણાવ્યું હતુ. તેણે આણંદ આવીને લાશની ઓળખવિધિ કરતાં તેના પિતા ગૌરીપુર્વ અશરફીપુર્વ બનીયા (ઉ. વ. ૪૮)ના હોવાનું ખુલવા પામ્યું હતુ.