News of Monday, 18th November 2019
અમદાવાદના નિકોલમાં પરિણીતા સાથે છેડતી કરનાર નરાધમ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ
અમદાવાદ; શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને સંતાન ન હોવાથી વિધીને બહાને તેની માલિશ કરીછેડતી કરનારા સસરા તથા અન્ય સાસરીયાઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ 28 વર્ષની મહિલાના લગ્ન નિકોલ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. તેના પરિવારમાંસાસુ સસરા નણંદ અને દિયરનો સમાવેશ થતો હતો.
પરિણીતાને સંતાન ન હોવાથી તારે મારા માબાપ કહે તેમ કરવાનું છે અને વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની છે, એમ કહીને પતિ મારઝુડ કરતો હતો. બીજીતરફ પરિણીતાને તેના સસરા તારી ઉપર કોઈએ કંઈ કરેલ છે જેથી તારી પર વિધી કરવી પડશે અને તો જ તારે છોકરા થશે, કહીને ઘરના સભ્યો વિધી કરતા હતા.
(5:40 pm IST)