ગુજરાત
News of Friday, 18th October 2019

આણંદ નજીક સામરખાની પરિણીતા પર દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકનાર નરાધમ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા સામરખા ગામની પરિણીતા પર તેના પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા દહેજની માંગણી કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારી કાઢી મુકતા અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી જયાબેનના લગ્ન બારેક વર્ષ પહેલા રાજસ્થાનના માઉન્ટ-આબુ રોડ ઉપર રહેતા પ્રકાશભાઈ તારાચંદભાઈ બારોટ સાથે થયા હતા. શરૂઆતનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ જેના ફળસ્વરૂપે બે સંતાનપ્રાપ્તી થઈ હતી. પરંતુ ત્યારબાદ પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધો બંધાતા બાબતે તેણીએ ઠપકો આપવાનું ચાલુ કરતાં પતિ દ્વારા તેણીને મારઝુડ ચાલી કરી દેવામાં આવી હતી. દરમ્યાન ઘરના સભ્યો રૂક્ષમણીબેન તારાચંદ બારોટ, તારાચંદ છોગાજી બારોટ, અમીત મફાજી, શીલાબેન વક્તાજી, વક્તાજી ભાટ, રીન્કુબેન મનોજભાઈ બારોટ, મનોજભાઈ દાનાજી, વીણાબેન જગદીશભાઈ, રમેશભાઈ છોગાજી અને કપીલાબેન રમેશભાઈ દ્વારા પીયરમાંથી દહેજ લાવવાનુ ંદબાણ કરીને પતિને ઉશ્કેરણી કરવાનું ચાલુ કરી દીધું હતુ.

(5:38 pm IST)