ગુજરાત
News of Friday, 18th October 2019

અમદાવાદમાં સતત ટ્રાફિકથી ધમધમતો સુભાસ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ બંધ રહેશે

અમદાવાદના સુભાષબ્રિજના પિલ્લરની કામગીરી ચાલી રહી છે. જો કે દિવાળી બાદ 20 દિવસ સુભાષબ્રિજ બંધ રાખવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી માત્ર રવિવારે જ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવતો હતો. જો કે ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટે 20 દિવસ બ્રિજ બંધ રાખવામાં આવશે.

(9:37 pm IST)