News of Thursday, 18th October 2018
અમદાવાદ કોંગ્રેસના નવા માળખા બાદ વિવાદ:નારણપુરામાં જગજીવન સોલંકીની નિમણુંક સામે નારાજગી
ચૂંટણીમાં ઉમેદવારની વિરુદ્ધમાં કામ કર્યું અને મૌખિક નોટિસ પણ પાઠવાઈ હોવાનો આક્ષેપ
અમદાવાદ શહેર કોંગ્રેસના નવા માળખા બાદ વિવાદ સામે આવ્યો છે. નારણપુરા ઓઠવ વટવા સહિત નારણપુરામાં નવા સંગઠનથી નારાજગી જોવા મળી છે. નારણપુરામાં જગજીવન સોલંકીની સ્ટેડિયમ વોર્ડ પ્રમુખ તરીકે નિમણૂક કરાતા કકળાટ જોવા મળ્યો છે. જગજીવન સોલંકીએ વિધાનસભા ચૂંટણી વખતે ઉમેદવારની વિરોધમાં કામ કર્યુ હોવાના આક્ષેપ થયા છે. એટલું જ નહીં વિધાનસભા પરીણામો બાદ પક્ષ દ્રારા મૌખીક નોટિસ પણ પાઠવાઇ હતી. જો કે આમ છતાં નવા સંગઠનમાં વોર્ડ પ્રમુખ તરીકે જગજીવન સોલંકીને નિમવામાં આવતા વિરોધના સૂર ઉઠ્યા છે. જેમાં કહેવાય રહ્યુ છેકે શહેર કોંગ્રેસમાં સારા નહિ મારાને સ્થાન અપાય છે.
(11:44 pm IST)