રૂપાલનુ વાતાવરણ પાવન થયુ
છ સ્થળોએ પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરાઈ : રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ધાર્મિક વિધી અને શ્રદ્ધાળુઓના ધસારા વચ્ચે પરંપરાગતરીતે પલ્લી કાઢવામાં આવે છે
અમદાવાદ, તા. ૧૮ : નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવી હતી. પલ્લીની સાથે સાથે નીચે મુજબ છે
¨ ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લીને લઇને ધાર્મિક માહોલ
¨ આ વખતે છ સ્થળો ઉપર પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી
¨ ગયા વર્ષે પાંચ લાખ કિલો ઘીનોનો અભિષેક કરવામાં આવ્યો હતો
¨ ગયા વર્ષે બે દિવસ દરમિયાન ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પલ્લી અને મંદિરમાં દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા
¨ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિનીી માતાનું ભવ્ય મંદિર છે અને નવરાત્રિમાં આસોસુદ નૌમના દિવસે મોડી રાત્રે પલ્લે કાઢવામાં આવે છે
¨ સવારમાં પલ્લી માતાજીના મંદિરની સામે બનાવવામાં આવેલા પલ્લી મંદિરમાં પહોંચે છે
¨ નવરાત્રીના અંતિમ દિવસે રૂપાલમાં માતા વરદાયિની માતાજીની પલ્લી નિકળે છે
¨ હજારો લાખોની સંખ્યામાં ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે
¨ માત્ર અમદાવાદ અને ગુજરાતના શ્રદ્ધાળુઓ જ નહી બલ્કે અન્ય રાજ્યોના લોકો પણ માતાજીના દર્શન કરવા માટે રૂપાલ પહોંચે છે
¨ મોડી રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે જ ધાર્મિક વિધી અને શ્રદ્ધાળુઓના જોરદાર ધસારા વચ્ચે પલ્લી કાઢવામાં આવે છે
¨ બુધવારના દિવસે સાંજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રૂપાલ પહોંચી ગયા હતા
¨ ગુરુવારે સાંજથી રૂપાલ તરફ દોરી જતા માર્ગો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા
¨ લોકોના અવિરત પ્રવાહથી રૂપાલનુ વાતાવરણ પાવન બની ગયુ હતુ
¨ જય વરદાયિની માતાના જય ઘોષ કરતા પગપાળા શ્રદ્ધાળુઓ માર્ગો પર જોવા મળી રહ્યા હતા
¨ કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. વાહનોની ચકાસણી પહેલાથી જ ઝડપી કરવામાં આવી હતી
¨ ફુડ વિભાગ દ્વારા સાવચેતી રૂપે ઘીના નમુના લેવામાં આવ્યા હતા
¨ પલ્લીની શરૂઆત ઉનાવા ગામના ઠાકોર સમાજના લોકો યજ્ઞ કુંડમાં કુદવાની પરંપરા બાદ થાય છે
¨ ગામના રસ્તા પર અભિષેક વેળા ઘીની નદીઓ વહેતી થઇ જાય છે