ગુજરાત
News of Thursday, 18th October 2018

ગુજરાતના સિદ્ધપુરમાં મકરસંક્રાંતિના બદલે દશેરામાં લોકો ચગાવે છે પતંગ

ઐતિહાસિક નગરી સિદ્ધપુરમાં મનાવાય છે શોક

અમદાવાદ :ભારત ભરમાં મકરસંક્રાંતિના દિવસે પતંગોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં એક એવું શહેર આવેલુ છે કે જ્યાં મકરસંક્રાંતિના બદલે દશેરાના દિવસે પતંગો ચગાવવામાં આવે છે.

  ઐતિહાસિક નગરી સિદ્ધપુરમાં દશેરામાં લોકો પતંગ ચગાવી તેની અનોખી ઉજવણી કરે છે. કારણ કે મકરસંક્રાંતિના દિવસે સિદ્ધપુરના રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયુ હોવાથી તે દિવસે શોક મનાવાય છે.

(12:39 pm IST)