ગુજરાત
News of Thursday, 18th October 2018

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં વધુ 23 કેસ નોંધાયા

સૌથી વધુ અમદાવાદમાં કેસ :હાલ 266 દર્દીઓ સારવારમાં :દોઢ મહિનામાં અમદાવાદમાં 618 કેસ સહિત 1451 કેસ નોંધાયા

અમદાવાદ :રાજ્યના સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત છે અને દર્દીઓમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે.છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 23 કેસ નોંધાયા છે જો કે ચોવીસ કલાકમાં એકપણ દર્દીનું મોત થયું ન હોવાનો તંત્રનો દાવો છે.અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ 5 કેસ નોંધાયા હતા. 266 દર્દીઓ સારવાર હેઠળ છે.

  પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધી દોઢ મહિનામાં સ્વાઈન ફ્લૂના 1451 કેસ નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ 618 કેસ નોંધાયા.રાજકોટમાં વધુ બે કેસ નોંધાયા છે.રાજકોટમાં અત્યાર સુધીમાં 109 કેસ નોંધાયા છે. સુરતમાં વધુ 5 કેસ નોંધાવાની સાથે કુલ આંક 106 પર પહોંચ્યો છે.રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત થયા છે.

(12:00 pm IST)