મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય અને સંતોએ લીધી વડાપ્રધાન નરેન્દ્રભાઈની મુલાકાત :મોદીએ 'જય સ્વામિનારાયણ 'કહી આવકાર્યા
અમદાવાદ :રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતના અનેક ધાર્મિક સંસ્થાનો સાથે ગાઢ નાતો છે તાજેતરમાં મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજી અને તેઓની સાથેના સંતોએ દશેરા નિમિતે વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આશીર્વચન આપ્યા હતા વડાપ્રધાન મોદીએ જય શ્રી સ્વામિનારાયણ સાથે આવકાર્યા હતા
મણિનગર ગાદી સંસ્થાનના સંત ભગવતપ્રિય દાસજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની આચાર્ય સ્વામી સાથેની મુલાકાતમાં રાષ્ટ્રના નિર્માણ અને ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના રક્ષણ માટે વડાપ્રધાન અને આચાર્ય સ્વામીનો વાર્તાલાપ થયો હતો
વડાપ્રધાને મણીનગર ગાદી સંસ્થાનની સેવાકીય પ્રવૃત્તિ અને ધર્મના રક્ષણ માટેના કાર્યોને બિરદાવી આચાર્ય સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા