ગુજરાત
News of Wednesday, 18th September 2019

પાલનપુરમાં વકરતો રોગચાળો : ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી અને ચીફ ઓફિસર સામે એસડીએમને ફરિયાદ

બંને અધિકારીઓ નિષ્ક્રિય રહેતા રોગચાળો જાહેર દુષણ બન્યો

પાલનપુરમાં રોગચારો વકર્યો છે. ત્યારે પાલનપુરના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય શાહ અને ચીફ ઓફિસર વિરુદ્ધ વેપારી જગદીશ ઠાકોરે જાહેરહિતમાં એસડીએમને ફરિયાદ કરી છે.

  આ બંને અધિકારીઓ નિષ્ક્રિય રહેતા રોગચાળો જાહેર દુષણ બન્યો હોવાની ફરિયાદ કરી છે. જે અંગે 24મી સપ્ટેમ્બરે સુનાવણી થશે. પાલનપુરમાં 14 વર્ષની કિશોરી દક્ષા ઠાકોરનું ડેન્ગ્યુથી મોત થયું. ફરિયાદીએ રજૂઆત કરી કે પાલનપુરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના ત્રણ હજારથી વધુ દર્દીઓ છે. ઘેર ઘેર માંદગીના ખટલા માટે તંત્રને બંને અધિકારીઓ જવાબદાર છે.

(9:31 pm IST)