News of Wednesday, 18th September 2019
આણંદના વિદ્યાનગરમાં આડેધડ પાર્કિંગની સમસ્યા: ટ્રાફિક જામની વિકરાળ સમસ્યાથી અન્ય ચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી
આણંદ:પાસેની શિક્ષણનગર વિદ્યાનગર ખાતે છેલ્લા ઘણાં વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન બન્યો છે. સ્થાનિક તંત્રના ખાડે ગયેલા વહીવટના કારણે શિક્ષણનગરીમાં પ્રવેશવાના માર્ગ પર આવેલ ભાઈકાકા સર્કલ પાસે ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે. આ સર્કલ ઉપર ખાનગી રીક્ષાચાલકો પોતાનું વાહન આડેધડ ઉભુ રાખતા હોવાથી અન્ય વાહનચાલકોને શોષવુ પડે છે.
જાણવા જેવી બાબત એ છે કે ઘણી વખત આ સર્કલ પાસે ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં ખાનગી રીક્ષાચાલકોના ત્રાસને કારણે અન્ય વાહનચાલકોને હેરાન-પરેશાન થવાનો વારો આવે છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતાને લીધે વિકટ બનેલ ટ્રાફિકના પ્રશ્ન સંદર્ભે પોલીસ તંત્ર યોગ્ય પગલાં ભરી ઉકેલ લાવે તેવી માંગ જાગૃત વાહનચાલકો દ્વારા કરાઈ છે.
(5:36 pm IST)