News of Wednesday, 18th September 2019
અમદાવાદમાં વિજય મિલ ક્વાર્ટરના 56 મકાનો તોડી પાડવા કાર્યવાહી
પાંચ દાયકા જુના જર્જરિત મકાનો તોડવા મ્યુનિ,એ કાર્યવાહી કરી
અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશન દ્વારા જર્જરીત મકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલુપુરથી મેમકો જવાના માર્ગ પર આવેલા વિજય મિલ કવાટર્સના 56 મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
50 વર્ષ જૂનાં આ મકાનોને તોડી પાડવા માટે કોર્પોરેશન દ્વારા પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી. આ મકાનો ઘણાં જર્જરીત હોવાથી તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
(1:03 pm IST)