ગુજરાત
News of Saturday, 17th August 2019

નર્મદા ડેમની સપાટી 132,60 મીટરે પહોંચી : ડેમના 9 દરવાજા ખોલાયા : નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

1 લાખ 71 હજાર 978 ક્યુસેક પાણીની જાવક;આવક કરતા જાવક વધુ

 

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.60 મીટર પહોંચી છે. ડેમમાં 1 લાખ 48 હજાર 801 ક્યુસેક પાણીની આવક થઇ છે. જ્યારે 1 લાખ 71 હજાર 978 ક્યુસેક પાણીની જાવક થઇ હતી

 . ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

(12:07 am IST)