News of Saturday, 18th August 2018
અટલજીને શ્રધ્ધાંજલી અર્પતા થીયેટર માલીકો આજે સવારના બન્ને શો બંધ રહ્યા
અમદાવાદ, શુક્રવાર પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપાયેના નિધનને પગલે રાજકીય શોક જાહેર કારાયો છે. રાજકોટ અમદાવાદસહિત ગુજરાતભરમાં ધ મલ્ટીપ્લેકસ એસોસિએશન ઓફ ગુજરાત અને સિનેમાટોગ્રાફ એકઝિબિટર્સ એસોસિએશન ઓફ ગુજરાતે અટલ બિહારી વાજપેયીને શ્રધધાજલિ અર્ર્પવા માટે તમામ થિયેટરો અને મલ્ટીપ્લેકસોમાં આજે મોર્નિગના બે શો બંધ રાખ્યા હતા. જોકે, દર્શકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યું હશે તેને રિફંડ આપવા પણ નક્કી કરાય ુંં હતું રાજકોટમાં ગેલેકસી બીગવર્લ્ડ અને બે મલ્ટીપ્લેકસમાં મોર્નીગ શો બંધ રહયાનું ઉમેરાયું હતું. (૩.૪)
(11:32 am IST)