ગુજરાત
News of Friday, 18th June 2021

સાબરમતી નદી બાદ હવે કાંકરીયા અને ચંડોળાના તળાવમાંથી પણ કોરોનાના વાયરસના લક્ષણો મળી આવ્યા

(કેતન ખત્રી), અમદાવાદઃ બીજી લહેરમાં અમદાવાદ શહેરમાંથી કોરોનાના સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યારસુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોનાવાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોનાવાયરસ મળ્યા છે. ત્રણેય પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયાં છે. ચાર મહિનામાં ૧૬ જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં પાંચ જેટલાં સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.

(4:20 pm IST)