રાહુલ ગાંધી માટે જનહિત જ સર્વોપરી : જન્મદિને શુભેચ્છા પાઠવતા હેમાંગ રાવલ
રાજકોટ,તા. ૧૮ : ગુજરાત કોંગ્રેસના મીડિયા કો-ઓડીનેટર હેમાંગ રાવલ (અમદાવાદ)એ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીના જન્મદિન નિમિતે શુભેચ્છા પાઠવતા જણાવ્યુ છે કે, પક્ષાપક્ષીથી ઉપર ઉઠી લોકહિત માટે કઈ પણ કરી છૂટવા સદૈવ તત્પર રહેનાર, આ દેશનું ભવિષ્ય ગણાય એવા યુવાવર્ગનો અક્ષીર અવાજ બનીને સદૈવ આગળ રહેનાર, સદૈવ લોક લાગણી સાથે જોડાયી ખભે-ખભો મિલાવી હાજરી આપી સાથે ને સાથે રહેનાર, આજના આ કોરોના જેવા કપરા સમયમાં પણ જરૂરીયાતમંદ લોકોની મુશ્કેલીઓને અવગણતી સરકારને ઢંઢોળીને જગાડવા હંમેશા પ્રયત્નશીલ રહેનાર, શાંત ચિત્ત્। અને ધૈર્ય ધરી પોતાના પથ પર અડગ રહી આગળ વધનાર,લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવાં યુવાનેતા રાહુલ ગાંધીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
રાહુલ ગાંધી માટે જનહિત જ સર્વોપરી છે ત્યારે અત્રે ઉલ્લેખ કરવો જ રહ્યો કે રાહુલજી દ્વારા છેલ્લા ૩ વર્ષથી તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો નથી તદુપરાંત સંપૂર્ણ વર્ષ દરમ્યાન તેમના દ્વારા સેવાકાર્યો તેમજ પ્રજાહિતના મુદ્દા જ સર્વોપરી રહ્યા છે જેમ કે તમામ નાગરિકો માટે ફ્રી રસીકરણ, બેરોજગારી - મોંદ્યવારીના પ્રશ્નો, કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ રાહુલ ગાંધીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં ઓકસીજન સપ્લાય, દવા સપ્લાય તેમજ અન્ય સેવાકીય કાર્યો. જનસેવામાં જ પ્રભુસેવા જોનાર,કોંગ્રેસ પક્ષની વિચારધારાને આગળ લઈ જઈ યુવાનોના નવા વિચારો સાથે તાલમેલ સાધી,દેશને એક નવી દિશા તરફ આગળ લઈ જનાર કોંગ્રેસ પક્ષના મજબુત મનોબળ એવા રાહુલ ગાંધીને જન્મદિવસ પર ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા.પરમ કૃપાળુ પરમેશ્વર આપને સૂર્યનું તેજ, કર્મની શકિત અને ચિરાયુ બક્ષે તેવી હૃદયપૂર્વક શુભેચ્છા. તેમ હેમાંગ રાવલ જણાવે છે.