ગુજરાત
News of Tuesday, 18th June 2019

હિમતનગરના ગઢોડા ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર :તળાવમાંથી કાચબાની પણ ઉઠાંતરી

ઉઠાવગીરીને જોઇને બાળકોએ બુમો પાડતાં અજાણ્યો શખ્શ ફરાર થઇ ગયો

હિમતનગરના ગઢોડા ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવામાં આવ્યો છે. મોરની હત્યા કર્યા બાદ ક્રુરતાથી તેમનાં પીંછા કાઢી લેવામાં આવ્યા હતા. આ સાથે તળાવમાંથી કાચબાની પણ ઉઠાંતરી કરવાની ઘટના બની હતી

  . જોકે ઉઠાવગીરીને જોઇને બાળકોએ બુમો પાડતાં અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. ચોરીની ઘટનાઓથી ફોરેસ્ટ વિભાગ અજાણ છે. પ્રાણીઓની આ સ્થિતીના કારણે જીવદયા પ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઇ છે.

  છાસવારે બનતી આવી ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારને લઈને તંત્ર કોઈ ગંભીર પગલા ભરે તેવી લોકોની માંગ છે.

(8:43 pm IST)