જહાંગીરપુરા-ડભોલી બ્રિજ પર ટુ વ્હીલર ડિવાઈડર સાથે અથડાઈ સ્લીપ થતા અકસ્માતમાં બે વિદ્યાર્થીને ઇજા: એકનું મોત
સુરત:જહાંગીરપુરા-ડભોલી બ્રીજ પર ટુવ્હિલ સ્લીપ થયા ડિવાઇડર સાથે ભટકાતા ઇજા પામેલા બે વિધાથીઓ પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીંપજયુ હતુ.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડભોલીખાતે પ્રમુખ યોગ સોસાયટીમાં રહેતો ૧૬ વષીૅય આર્યન રાજેશભાઇ માંગુકીયા અને તેનો મિત્ર શ્રેયાસ સાથે ગત તા.૧૫મીએ સાંજ ટુ વ્હિલ પર જહાંગીરપુરા તરફ જવા નીકળ્યા હતા. તે સમયે જહાંગીરપુરા તરફ બ્રીજ પર ટુ વ્હિલ સ્લીપ થયા ડિવાઇડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બેને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતા.જેમાં ગંભીર ઇજા પામેલા આર્યનનું સારવાર દરમિયાન ગત સાંજે મોત નીંપજયુ હતુ.જયારે આર્યન ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો.જયારે ત ધો.૧૧ સાયન્સમાં ભણતો મિત્ર શ્રેયાંસ સાથે અડાજણ ખાતે ટયુશન જવા નીકળ્યા હતા.તે સમયે અકસ્માત સર્જતા આર્યનું કરૃણ મોત થતા તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આર્યાન મુળ ભાવનગરના ઉમરાડામાં રાડલનાદરવાના વતની હતો.તેના પિતા બાંધકાના કામ સાથે સંકળાયેલા છે.જોકે બેને મિત્ર વાનમાં ટયુશન જતા હતા.પણ બનાવના દિવસે વાન નહી આવતા ટુવ્હિલ પર જવુ પડતા તરૃણનો જીવ ગયો હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.આ અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.