ગુજરાત
News of Monday, 18th June 2018

નડિયાદમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ: મિશન રોડ વિસ્તારની સોસાયટીમાં રહેતી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યાના બનાવ અંગે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ મિશન રોડ દેવીશક્તિ સોસાયટીમાં સીંધુ પરિવાર રહે છે. આ સોસાયટીમાં રહેતા આઝાદસીંગ ગુરુમીતસીંગ સીંધુના લગ્ન નડિયાદમાં રહેતી શનીબેન સાથે ધામધૂમથી કરવામાં આવ્યા હતા પરંતુ લગ્નને થોડા સમય બાદ સાસરીયાઓએ નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં ગત તા. ૧૨-૬-૨૦૧૮ના રોજ શનીબેનને પિયરમાં જવા-દેવાની ના પાડી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા તેમજ મહેણાં ટોણા મારી મારઝુડ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેથી પરિણીતાએ પિયરની વાટ પકડ્યા બાદ મહિલા પોલીસને હકીકત જણાવી હતી. 
આ બનાવ અંગે શનીબેન આઝાદસીંગ સીંધુની ફરિયાદ આધારે નડિયાદ મહિલા પોલીસે આઝાદસીંગ સોહતસીંગ, દીલજાતકૌર સીંધુ, ગુરુચરણસીંગ સીંધુ, ગુરુપ્રીતસીંગ તેમજ અમરદીપસીંગ સીંધુ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:47 pm IST)