ગુજરાત
News of Wednesday, 18th May 2022

અમદાવાદમાં કોરોનાના નવા 20 કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા:વધુ 33દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,13,658 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 35.035 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 212 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 32 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 33 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,13,658 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 35.035 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,84.75.771 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 212 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 210 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 32 કેસમાં અમદાવાદ શહેરમાં 20 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, જામનગરમાં 2 કેસ,સુરત કોર્પોરેશન,અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે 

(7:14 pm IST)