News of Saturday, 18th May 2019
બનાસ દાણના ભાવમાં વધારા સામે કિસાન સંઘે મોરચો માંડ્યો :કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભાવવધારો પાછો ખેંચવા,ખાતર કૌભાંડનો ભોગ બનેલા ખેડૂતોને વળતર આપવા માંગ
પાલનપુર : બનાસ ડેરીએ બનાસ દાણમાં કરેલા ભાવ વધારા સહિતના ખેડૂતોના પ્રશ્ને ભારતીય કિસાન સઁઘે મોરચો માંડ્યો છે બનાસકાંઠા કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે ગુહાર લગાવી છે.
બનાસડેરીએ પણ બનાસદાણમાં ભાવ વધારો ઝીંકતા બનાસકાંઠાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ખેડૂતોની વ્હારે ચડતા બનાસકાંઠા કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં બનાસદાણનો ભાવ વધારો પાછો ખેંચવા, રી-સર્વેનો પ્રશ્ન સોલ્વ કરવા, ખાતર કૌભાંડમાં ખાતર ખરીદનાર ખેડૂતને વળતર આપવા સહિતની માંગ કરાઈ છે.
આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના અગ્રણી ભીખાભાઇ ભૂટકા અને મોંઘજીભાઈ ચૌધરી સહિતના અગ્રણી ઓ હાજર રહ્યાહતા
(9:45 pm IST)