રાજસ્થાનથી દશન કરી પરત ફરતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં શોકની લાગણી
અમીરગઢ:રાજસ્થાનનાં આબુરોડ અને સ્વરૃપગંજ વચ્ચે દર્શન કરી પરત ફરી રહેલા બનાસકાંઠાના ડીસાના પરિવારનો અકસ્માત થતાં ઘટનાસ્થળે બેના મોત નિપજ્યા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થવા એરરાટી મચી જવા પામેલ છે.રાજસ્થાનના સિરોહી જિલ્લાના સુમેરપુર નજીક ડીસાનો એક પરીવાર દર્શનાર્થે ગયો હતો દર્શન કર્યા બાદ પરત ઘરે ફરી રહેલા આ પરિવારની કાર આબુરોડ-સ્વરૃપગંજ વચ્ચે ભુજેળા ગામ પાસે રોડ પર ઉભેલા ટ્રક પાછળ અચાનક ઘુસી જતાં કારના કુચ્ચે કુચ્ચા ઉડી ગયા હતાં જ્યારે કારમાં સવાર પાંચ ઇસમો પૈકી બેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૃ ઉડી ગયુ હતું. રોડ પર થયેલ આ ગમખ્વાર અકસ્માતમાં જોરદાર ધડાકાકાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલિસને જાણ કરતા આબુરોડ પોલિસ ઘટનાસ્થળે આવતાં અકસ્માત થયેલ ઇસમોને કારથી બહાર નિકાળતાં તેમાં હરેશકુમાર જેસગભાઇ ખદી ઉ.વ.66 તથા પ્રકાશ માંગીલાલ ઠક્કર ઉ.વ.46નું ઘટનાસ્થળે પ્રાણ પંખેરૃ ઉડી ગયું હતું.