મમતા બેનરજીના પગ નીચેથી ધરતી સરકી :લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો સફાયો નિશ્ચિત : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
મમતા બેનરજીએ લોકશાહીને કલંકીત કરી છે: દાદાગીરી-દીદીગીરી કરે છે તેને જનતા જવાબ આપી દેશે :વિજયભાઇ રૂપાણી
વડોદરા :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પશ્ચિમ બંગાળમાં આ વખતની ચૂંટણીઓમાં મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસનો સફાયો થવાનો છે તેમ સાફ શબ્દોમાં જણાવ્યું છે.
તેમણે વડોદરામાં જણાવ્યું કે, મમતા બેનરજીના પગ નીચેથી ધરતી સરકી રહી છે. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનો પરાજય નિશ્ચિત છે. મમતા બેનરજી એટલા માટે જ લોકશાહીને કલંકીત કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આખા દેશમાં લોકસભાની ચૂંટણીઓ શાંતિથી યોજાઇ પણ એક માત્ર પશ્ચિમ બંગાળમાં જ તોફાનો હિંસાની ઘટનાઓ થઇ છે.
મમતા બેનરજી ધમકીની ભાષા, ચૂંટણીમાં હિંસા અને સત્તાનો દુરૂપયોગ કરીને દાદાગીરી સાથે દીદીગીરી કરી રહ્યા છે એમ આલોચના કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત અને પશ્ચિમ બંગાળની જનતા જનાર્દન મમતા બેનરજીની આ દાદાગીરી ચલાવી લેશે નહિ અને ચૂંટણી પરિણામોમાં જવાબ આપી જ દેવાની છે.