ઈડરના મોહનપુર પાટિયા નજીકથી સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું
બે આઇશર ટ્રક દ્વારા પ્રાઇવેટ ગોડાઉનમાં ગેરકાયદે સરકારી અનાજ ઠલવાતું હતું :પોલીસે મોટાપ્રમાણમાં અનાજનો જથ્થો કર્યો સીઝ
ઈડરના મોહનપુર પાટિયા પાસેથી સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. બે આઇશર ટ્રક દ્વારા પ્રાઇવેટ ગોડાઉનમાં ગેરકાયદે સરકારી અનાજ ઠલવાતું હતું. પોલીસે મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો સીઝ કરી દીધો છે.
મળતી વધુ માહિતી મુજબ, મળેલી બાતમીને આધારે પોલીસે સાબરકાંઠાના ઈડરના મોહનપુર પાટિયા પાસેથી પસાર થઈ રહેલી બે આઇશર ટ્રકને અટકાવી તપાસ કરી હતી. પોલીસ-તપાસમાં સરકારી અનાજનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે સરકારી અનાજના જથ્થાને સીઝ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.
પોલીસે બે ટ્રક સાથેનો સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી લીધો છે. પોલીસ આ અનાજકૌભાંડ કોના ઇશારે થઈ રહ્યું છે અને કેટલા સમયથી ચાલી રહ્યું છે એની ઊંડી તપાસ કરી છે. પોલીસ પૂરી તપાસ કરી આરોપીઓને ઝડપથી ઝડપી એનો રિપોર્ટ સંબંધિત વિભાગને મોકલી આપશે.