ઉચ્છલના ગાંધીનગરમાં ટાયર નીકળી જતા કાર બે થી ત્રણ વાર પલટાઈ જતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત
વ્યારા:ઉચ્છલના ગાંધીનગરમાં સેન્ટ્રો કારનું ટાયર અચાનક નીકળી જતાં કાર બે થી ત્રણવાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં કાર ચાલક એવા મહારાષ્ટ્રના બુલઢીણાના ચીખલી એસબીઆઈ બેંકના કેશીયરનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેની પત્ની, બાળક સહિત ત્રણને સામાન્ય ઈજા થઈ હતી.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનાં ચીખલી તાલુકાનાં રાઉતવાડી ગામે રહેતા વિક્રમભાઈ દિનકરભાઈ માંડવગડે (ઉ.વ.૪૪) ચીખલી એસબીઆઈની બ્રાંચમાં કેશીયર તરીકે ફરજ બજાવતા હતાં. પત્ની અલ્પાબેન (ઉ.વ.૪૦) ની નણંદ સુરેખાબેન માંદગીના કારણે સુરતની આઈ.પી.મિશન હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતાં. મંગળવારે વિક્રમભાઈ માંડવગડે, પત્ની અલ્પાબેન, પુત્ર નિહાર (ઉ.વ.૧૪) તથા કુટુંબો ધર્મેન્દ્રસિંહ ભાવસાર સેન્ટ્રો કાર (નં.-એમએચ-૨૮-યુ-૧૦૬૨) ળઈ ખબર અંતર પૂછવાં સુરત જવા નીકળ્યાં હતાં.