ગુજરાત
News of Thursday, 18th April 2019

પાર્ટીમાં ઘણા આવીને ગયા કોઈ ફર્ક પડ્યો નથી :રાજીવ સાતવનું મોટું નિવેદન

રાજીવ સાતવે અલ્પેશ ઠાકોરને શંકરસિંહજી સાથે સરખાવી કહ્યું પાર્ટીમાં ઘણા આવીને ગયા કોઈ ફરક પડ્યો નથી

અમદાવાદ :કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અલ્પેશ ઠાકોરને લઇને પ્રભારી રાજીવ સાતવે મોટું નિવેદન કર્યું છે. અલ્પેશ ઠાકોરને રાજીવ સાતવે શંકરસિંહ વાઘેલા સાથે સરખાવ્યા છે. શંકરસિંહની જેમ ઘણા આવીને ગયા પાર્ટીને કોઇ ફરક પડ્યો નથી. શંકરસિંહ પાર્ટી છોડી ગયા ત્યારે આવી જ ચર્ચા ચાલી હતી. આવા લોકો આવશે અને જશે પણ પાર્ટીને કોઇ ફરક પડશે નહીં.

(9:54 pm IST)