News of Monday, 18th March 2019
ઇન્દોરમાં ભંગારનો વેપાર કરનાર વૃદ્ધને માયાજાળમાં ફસાવી ગઠિયાએ 5.50 લાખ ચાઉં કરી લેતા ચકચાર
સુરત:મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભંગારનો વેપાર કરતા વૃદ્ધને લોખંડના ડ્રમના પતરા વેચવાના બહાને ગઠિયાએ સામેથી ફોન કરી પોતાની માયાજાળમાં ફસાવી રોકડા રૂ. 5.50 લાખ પડાવી દીધા હતા. પરંતુ લોખંડના ડ્રમના પતરાં નહીં મોકલી છેતરપિંડી આચરતાં વૃદ્ધ વેપારીએ સુરતના સચીન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મધ્યપ્રદેશના ઇન્દોરના બૈરાઠી કોલોની શાહિલ રેસીડન્સી ફ્લેટ નં.401માં રહેતા નોતનદાસ બોદારામજી દિપચંદાની ઇન્દોર 3 ઈબલી પાલદા ખાતે શ્રી ગુરૂનાનક એન્ટરપ્રાઇઝના નામે ભંગારનો વેપાર કરે છે.
(5:32 pm IST)