સોશ્યલ મિડીયામાં ફરતી કોંગ્રેસની પેનલની યાદી ખોટીઃ પરેશ ધાનાણી
રાજકોટ, તા. ૧૮ :. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ૨૨ બેઠકો માટે પેનલ જાહેર કરવામાં આવી હોવાનું સોશ્યલ મિડીયામાં જાહેર થયુ હતું. જો કે આ પેનલ ખોટી હોવાનું વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ હતું.
પરેશભાઈ ધાનાણીએ અકિલાને વધુમાં જણાવ્યુ હતુ કે, આજે અમે દિલ્હી જવાના છીએ, જ્યાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી અંગે ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ નામો જાહેર કરવામાં આવશે. સોશ્યલ મિડીયામાં ફરી રહેલી પેનલની યાદીમાં રાજકોટ માટે લલિત કગથરા, દિનેશ ચોવટિયા, ડો. હેમાંગ વસાવડા, હિતેશ વોરા, ધીરજલાલ શીંગાળા (જસદણ)ના નામ જ્યારે જામનગરમાં મુળુભાઈ કંડોરિયા, હેમંત ખવા, જૂનાગઢમાં પુંજાભાઈ વંશ, જલ્પા ચુડાસમા, હીરાભાઈ જાટવ, સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ, લાલજીભાઈ મેર, ઋત્વીક મકવાણા, કલ્પના મકવાણા, અમરેલીમાં પરેશ ધાનાણી, જેનીબેન ઠુંમર, કોકીલાબેન કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, પોરબંદરમાં લલિતભાઈ વસોયા, અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના નામો ફરી રહ્યા છે. જો કે આ યાદી ખોટી હોવાનું પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ છે.