ગુજરાત
News of Monday, 18th January 2021

સુરતના ધામેલીયા પરિવારને અમરેલીમાં અકસ્માત બે મહિલાઓના કરૂણમોત :પાંચ ઘાયલ :બે ગંભીર

ધામેલીયા પરિવારના સભ્યો માતાજીના દર્શન કરીને પરત ફરી રહયા હતા ત્યારે અકસ્માત નડ્યો

સુરતમાં રહેતા ધામેલીયા પરિવાર પોતાના વતન ઇનોવા કાર લઈને સિમરણ માતાજીના દર્શને ગયો હતો. અને દર્શન કરી પરત ફરતી વખતે અમરેલી શેત્રુંજી નદીના પુલ પાસે આ ઇનોવા કારને ગોઝારો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ઇનોવા કારમાં સાત વ્યક્તિઓ બેઠેલા હતા જેમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર અને બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તો સુરેન્દ્રનગર હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખુશી ખુશીથી ધામેલીયા પરિવારના સભ્યો માતાજીના દર્શન કરીને પરત ફરી રહયા હતા તેવા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાતા આ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

(9:46 pm IST)