સોલધરા ઇકો પોઇન્ટના તળાવમાં બોટ પલટી જતા 5 લોકોના મોત
અમદાવાદ અને સુરતથી ફરવા આવેલા 2 પરિવારો બોટિંગ કરવા ગયેલા : ઓવરલોડના કારણે બોટ કિનારે જ પલટી ગઈ
નવસારી: જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ઇકો પોઇન્ટના કુત્રિમ તળાવમાં બોટ પલટી જતા 5 લોકોના મોત થયા છે
મળતી વિગત મુજબ અમદાવાદ અને સુરતથી ફરવા આવેલા 2 પરિવારો ચીખલી તાલુકામાં આવેલા સોલધરા ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરવા ગયા હતા. આ દરમિયાન ઓવરલોડના કારણે બોટ કિનારે જ પલટી મારી હતી
આ ઘટના જાણ થતાં ચીખલી પોલીસ સહિત ગણદેવી અને બીલીમોરા ફાયર વિભાગનો કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી ચીખલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું
આ અંગેની જાણ થતાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને ગણદેવીના ધારાસભ્ય પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. હાલ ચીખલી પોલીસે ઇકો પોઇન્ટના સંચાલક અશોક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે