ગુજરાત
News of Friday, 18th January 2019

અંકલેશ્વરના અંદાડામાં મકાનની બારીમાંથી ટેબલ પર મુકેલા સોનાની વીંટી ,રોકડ અને મોબાઈલની ચોરી

અંકલેશ્વરના અંદાડામાં આવેલ રાજહંસ સોસાયટીના મકાન નંબર સી/૫૯ના ઉપરના માળે બારી પાસે મુકેલ ટેબલ પરથી સોનાની વિટી,રોકડા તથા મોબાઇલની ચોરી કર્યાની ફરીયાદ શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે.

  મળતી વિગત મુજબ અંકલેશ્વર ખાતે રાજપીપળા ચોકડી પરની માતંગી રોડવેઝમાં સુપરવાઇઝરની નોકરી કરતા પ્રવિણભાઇ મનુભાઇ પટેલ ગત.તા.૧૪મીના રોજ સપરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા માટે ગયા હતા. જ્યાંથી રાતે ૧૦ કલાકની આસપાસ પરત આવ્યા હતા. ત્યારે રાતે ૧૦ થી સવારે પાંચ કલાકની આસપાસ તેમના ઘરના ઉપરના માળે બારી નજીક મુકેલા ટેબલ ઉપર તેમનો પુત્ર અઢીથી ત્રણ તોલાની સોનાની વિંટી, રૂપિયા ૭૦૦૦/- રોકડા તથા વીવો કંપનીનો મોબાઇલ કિંમત આશરે ૧૯૦૦૦/-મુકી સુઈ ગયો હતો. વહેલી સવારે પાંચ કલાકની આસપાસ ઉઠીને જોતાં આ તમામ વસ્તુઓ ચોરાઇ ગયાનું માલુમ પડ્યું હતું.

જે અંગેની ફરીયાદ પ્રવિણભાઇ પટેલે અંકલેશ્વર પોલીસ મથકે તા.૧૭/૧/૨૦૧૯ના રોજ નોંધાવતા અંકલેશ્વર શહેર પોલીસે રૂપિયા ૮૬૦૦૦/-ની ચોરી થયાની ફરિયાદ નોંધી ચોરોનું પગેરૂ મેળવવા કવાયત હાથધરી છે.

(10:40 pm IST)