પાલનપુરમાં કોમર્શિયલ બાંધકામ મુદ્દે સ્થાનિકો - બિલ્ડર આમનેસામને :મારામારીમાં એકને ઇજા
બિલ્ડરે મરચાનો સ્પ્રે આંખમાં નાખીને માર માર્યો :સામસામી ફરિયાદ ;પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
પાલનપુરમાં દિલ્હીગેટ બ્રાહ્મણવાસ વિસ્તારમાં કોર્મિસયલ બાંધકામના મુદ્દે બિલ્ડર અને સ્થાનિક રહીશો વચ્ચે માથાકૂટ થઇ હતી બિલ્ડરે મરચાનો સ્પ્રે આંખમાં નાખી સામા પક્ષના લોકોને માર મારતાં અફરા- તફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજાઓ થતા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બંન્ને પક્ષે સામસામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ પાલનપુરના દિલ્હીગેટ બ્રાહ્મણવાસ વિસ્તારમાં એક સોપિંગ સેન્ટરનું બાંધકામ થઇ રહ્યુ છે. જેના ઉપર સ્થાનિક રહીશ દ્વારા સ્ટે લાવવામાં આવ્યો હતો. તેમ છતાં બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. જેથી સ્થાનિક રહીશો દ્વારા આ બાંધકામનું કામ અટકાવવામાં આવતા બિલ્ડર અને રહીશો આમને સામને આવી ગયા હતા. અને સ્થળ ઉપર મારા મારી થવા લાગી હતી.